![]()
(શીશમહેલ, મહેરાનગઢ…. …જોધપુર, ૨૦૦૪)
હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.
ઝાંઝવા, તડકા, અરીસામાં રહ્યો,
હું મને શોધી શક્યો ન જાતમાં.
આંખ, હૈયું, મન – બધું બારીએ છે,
આ જે ઘરમાં છે, શું હું છું ? ના રે ના…
વહી ગયેલાં પાણી ભરવાં શક્ય છે ?
તું ગઝલ લખ, છોડ પદ નરસિંહના.
-વિવેક મનહર ટેલર
(૨૪-૦૬-૨૦૦૭)