તેરમી વર્ષગાંઠ પર બે વાત…

૧૩ વર્ષ…
૬૦૦ પૉસ્ટ્સ…
૧૩૫૦૦થી વધુ પ્રતિભાવ…

૨૯-૧૨-૨૦૦૫થી ૨૯-૧૨-૨૦૧૮. એક-એક કરતાં તેર વર્ષ આપ સહુના સ્નેહ અને સાથના પ્રતાપે વીતી ગયાં. સોશ્યલ મિડીયાની આંધી વેબસાઇટ્સના સૂર્યને કદી ઓલવી નહીં શકે એવી શ્રદ્ધા દિલમાં લઈને આ યાત્રા આજ સુધી ચાલુ રાખી છે અને શક્ય બનશે ત્યાં સુધી ચાલુ જ રાખવાનું નિર્ધાર્યું છે.

સમય ફાળવીને આપ સહુ રચનાઓ વાંચવા જે રીતે અહીં પધારો છો એ જ રીતે થોડી પળ વધુ કાઢીને આપનો બહુમૂલ્ય પ્રતિભાવ પણ આપશો તો એ આ યાત્રામાં પ્રાણવાયુનું કામ કરશે…

આપનો સ્નેહ સાંપડતો રહેશે ત્યાં સુધી દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં અચૂક મળીશું… આપ પણ યાદ રાખીને દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

આભાર… 

8 thoughts on “તેરમી વર્ષગાંઠ પર બે વાત…

  1. ‘શબ્દો છે મારા શ્વાસ
    આપનો આ દાવો, માત્ર દાવો ન રહેતા સબળ પુરાવો બની ગયો તે બદલ અભિનંદન

  2. ખૂબ ખૂબ અભિનંદન, તમારી રચનાઓનો પ્રવાહ આમ જ વહેતો રહે….

  3. ખુબ ખુબ અભિનદન .હમેશા આટલી સુદર રચના વાચવાનો લહાવો મળતો રહે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *