શું સળવળાટ છે?

(ઠસ્સો…. …સાસણ ગીર, જાન્યુઆરી, ૨૦૧૯)

ઉન્માદ શાનો લોહીમાં, શેં રવરવાટ છે?
શબ્દોનો શ્વાસમાં ફરી શું સળવળાટ છે?

પાણી પીધું જે વાવમાં ઉતરી તેં બાર હાથ,
ત્યાં માત્ર ખાલીપો અને નકરો ઉચાટ છે.

કોણે છે તૂટવાનું અને વહેશે પહેલું કોણ?
આંખોના ચોરે લોકમાં આ ચણભણાટ છે.

એકાદી તારી યાદ ત્યાં ભૂલી પડી કે શું?
મનનું સમસ્ત નેળિયું, જો મઘમઘાટ છે.

એરૂ અણીના ટાંકણે આભડ્યો મૌનનો,
બાકી જીવનના પાનાં તો સૌ કડકડાટ છે.

– વિવેક મનહર ટેલર

ઓક્ટૉબર-નવેમ્બર, ૨૦૧૧

(રાણી….                ….સાસણ ગીર, જાન્યુઆરી, ૨૦૧૯)

10 thoughts on “શું સળવળાટ છે?

  1. મનનાં નેળિયે મઘમઘાટ… ખુબ ગમ્યું. મજાની ગઝલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *