![]()
(પીળું સોનું…. …સાંગલા, કિન્નૂર, નવે-૨૦૦૭)
દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી,
‘છું સતત રણભેર’- વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ,
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
-વિવેક મનહર ટેલર
(૦૫-૦૪-૨૦૦૮)
છંદ-વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા | ગાલગા
50 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/225/trackback/
April 5, 2008 at 9:43 am
jayshree
વાહ…
મને તો આ છેલ્લો શેર બહુ જ ગમી ગયો….
શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
અને ડોક્ટર સાહેબ..
તમારુ આ prescription બહુ જ ગમ્યું. ચોક્કસ એના પર અમલ કરીશું.
April 5, 2008 at 9:44 am
jayshree
વાહ…
મને તો આ છેલ્લો શેર બહુ જ ગમી ગયો….
શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
અને ડોક્ટર સાહેબ..
તમારુ આ prescription બહુ જ ગમ્યું. ચોક્કસ એના પર અમલ કરીશું.
April 5, 2008 at 10:57 am
Rajeshwari Shukla
મને આ ખૂબ ગમી
જોજનો દૂર થઈ ગયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
April 5, 2008 at 12:05 pm
Niraj
ખૂબ સરસ વિવેકભાઈ દમદાર ગઝલ..
શબ્દમાં માઈ શકે એવી નથી પીડા બધી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
આ અને મક્તાનો શેર ખૂબ જ ગમ્યા..
April 5, 2008 at 1:01 pm
હેમંત પુણેકર
સુંદર ગઝલ વિવેકભાઈ! “વચ્ચે મૂકી ગઝલો વાંચજો” જેવા “બંધનકર્તા” રદીફને સહજતા ચલાવવો ખરેખર અઘરુ કામ છે.
આ અશઆર ખૂબ ગમ્યાં:
દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
યાત્રા વૃંદાવનની કરવી કે ગઝલના ગામની ?
મોરપિંછ બસ, એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
પોતીકો લાગે એ ખાતર અડધા છોડ્યા શે’રમાં,
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
જોજનો દૂર થઈ ગયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
“જોજનો દૂર..” વાળા શેરમાં દૂર ને એક ગુરુમાં સમાવી નિર્વાહ્ય છૂટ જ લીધી છે. પણ પઠન વખતે “દૂર”નું જ્યારે “દુર” કરીને વાંચવું પડે છે ત્યારે થોડુંક તો કઠે છે. એવો જ એક શબ્દ “પીડા” છે જેનું “પિડા” કરવાથી ઉચ્ચારની સહાજીકતા તુટતી હોય એમ લાગે છે. ઘણા શબ્દોના પઠનમાં આ ફરક ધ્યાનમાં આવતો નથી. જેમકે વીજળીનું વિજળી, બીમાર નું બિમાર વગેરે વગેરે. ઉચ્ચારની આ માથાકૂટમાં છૂટછાટો અંગે ફેરવિચાર કરવાની ઈચ્છા થઈ આવે છે.
આ બધું અહીં લખું છું કારણ કે આપની site એક e-મુશાયરાથી કમ નથી. અહીં વાત કાઢીએ તો ઘણા ભાવકો અને શિક્ષકો પાસે સહજતાથી પહોંચી જવાય છે.
April 5, 2008 at 2:49 pm
dr. j.k.Nanavati
જાતરા કાશીની કરવી કે ગઝલના ગામની……બહેર જાળવવા કેમ રહેશે?
જોજનો આઘા ગયાનું દર્દ જાગે જે ઘડી……..સરળ, પણ ગાવા મટે જરુરી ફેરફાર…!!
એક મિત્ર તરીકે ટિપ્પણી…….ડો. જગદિપ
April 5, 2008 at 4:46 pm
Dr N N Dhruv
કેટલુ સચોટ છે! કંઈ પણ સમજવા-માણવા માટે શ્વસતા આત્માની જરૂર છે. અભિનન્દન!
ડૉ. નિશીથ ધ્રુવ.
April 5, 2008 at 4:55 pm
Dr N N Dhruv
શ્રી પુણેકરની ટિપ્પણી વિષે એટલું જ કહીશ કે કાવ્યના કોઈ પણ પ્રકારમાં જોડણીની છૂટ વૈધ છે. ઉચ્ચાર તો ગાવાની અનુકૂળતા પ્રમાણે કરાય એ જ અપેક્ષિત છે. મરાઠી ભાષામાં પદ્યમાં ગાવાને છન્દ કે ગાવાને અનુકૂળ જોડણી કરાય છે.
નિશીથ.
April 5, 2008 at 6:29 pm
વિવેક
પ્રિય હેમંતભાઈ,
આપની સહૃદય ટિપ્પણી બદલ આભાર… હું પણ આવી જ તકોની રાહ જોતો હોઉં છું. ગુજરાતી ગઝલની છંદપ્રણાલિકા બૃહદ્-અંશે ઉચ્ચાર આધારિત છે. દૂર શબ્દને એક ગુરુ તરીકે લેવામાં નજીવો છંદ-દોષ જ કહેવાય. એને ઉચ્ચારશાસ્ત્રીઓ કે ગઝલજ્ઞો બહાલી આપે છે કે નહીં એ મારે પણ જાણવું પડશે.
પીડા, બીમારી જેવા શબ્દોમાં આવતા દીર્ઘ-ઈ અક્ષરોને લઘુ કે એ રીતે દીર્ઘ-ઊ અક્ષરોને પણ લઘુ લેવાની પ્રણાલી શરૂઆતથી જ અસ્તિત્વમાં છે એટલે એમાં હું કોઈ દોષ જોતો નથી. ફક્ત પીડા શબ્દમાં જ ‘પી’ ને લઘુ ગણ્યો હોય એવા ઢગલાબંધ ઉદાહરણો મળી શકે એમ છે… એજ પ્રમાને ઘણીવાર લઘુ અક્ષરો (હ્રસ્વ-ઇ કે હ્રસ્વ-ઉને પણ ગુરુ તરીકે વપરાતા જોવા મળે છે) આ બાબતમાં કોઈ જાણકાર માહિતી આપે તો ગમશે…
અને પ્રિય ડૉ.નાણાવટીસાહેબ,
વૃંદાવનની જગ્યાએ કાશી કરી દેવાથી મોરપિંછમાં આવતો કૃષ્ણનો સંદર્ભ જ હટી જાય છે. ગોકુળ લઈ શકાય પણ ગોકુળની યાત્રા કરવા આપણે જતા નથી. મારી દૃષ્ટિએ આ પંક્તિનું છંદ-વિધાન યોગ્ય જ છે…
April 5, 2008 at 6:33 pm
pragnaju
વાહ્
આ પંક્તી વધુ ગમી
શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
મનગણ ગણવા લાગ્યું
ફક્ત વાંચવું? ના હું તો ગાઈશ
વડીલ કહે ધગેડા ગણશે!
યાત્રા વૃંદાવનની કરવી કે ગઝલના ગામની ?
મોરપિંછ બસ, એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
આ શેર પર તો નાચીસ!
તો કહે ગઝલ મરતા મૃગની ચીસ.હઝલ પર નચાય
આ તો અમારી વાત-
બધાને મઝા આવી
યાદ આવી
ભાષાની ભરમાળ મહીં હું
ગીતો, ગઝલો પેશ કરું છું.
નીસ્પ્રુહ બનવાની વાતો
…સૌ વાગોળીને બેઠી છું.
April 5, 2008 at 6:54 pm
ચેતન ફ્રેમવાલા
આપનાં બહુ ગમેલા શે’ર ફરીથી માણું છું………………..
જડ બધી ઈંટો વચાળે જીવતી રાખી ગઝલ
શ્વાસ ને સીમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
છે બધે અંધાર તેથી બાળું છું હું જાતને,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દમાં ગાઈ લઉં છું હું હવે પીડા બધી,
આંસુઓની સેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
સુંદર ગઝલ,
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવલા
April 6, 2008 at 12:15 am
SHABAN
શેર આને કહેવાય છેલ્લા શેર નો તો જવાબ નથી !
વાહ વાહ મજા આવી ગઈ
શાબાન
April 6, 2008 at 4:47 am
Chirag Patel
યાત્રા વૃંદાવનની કરવી કે ગઝલના ગામની ?
મોરપિંછ બસ, એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
વાહ વાહ! પ્રતીકપુજા માટે એક અતીસુન્દર ઉદાહરણ મળ્યું.
April 6, 2008 at 9:31 am
ઊર્મિ
પહેલા ગઝલ વાંચી ગઈ ત્યારે મને પણ તરત ‘દૂર’ શબ્દને એક ગુરુ તરીકે અને ‘પોતીકો’ નો ‘તી’ ને લઘુ લીધેલો જોઈને મનમાં તરત જ સવાલ ઉઠ્યો… (એમ પણ ગુરુ અક્ષરોને શબ્દોની મધ્યમાં સ્વીકારીત-લઘુ તરીકે ક્યારે લેવાય એની ગડમથલમાં હું કાયમ હજી અટવાઉ જ છું) પછી નીચે કોમેન્ટ જોઈ ત્યારે હેમંતે ચાલુ કરેલી ચર્ચા જોઈને મજા જ આવી ગઈ…
વૃંદાવનવાળો શેર તો સરસ જ થયો છે… પણ એક સવાલ ઉઠ્યો છે:
‘મોરપિંછ’ ની સાચી જોડણી ‘મોરપિચ્છ’ કે ‘મોરપીછ’ નથી? અને માથે અનુસ્વાર પણ નથી આવતો કદાચ… મોરપીછું બોલીએ તો જ ‘છુ’ ને માથે અનુસ્વાર આવે છે… યોગ્ય જાણકારી મને પણ કામ આવશે.
રદીફ બરાબર હોવા છતાં ‘ગઝ’ ને દરેક શેરમાં વારંવાર ગા તરીકે લઈને ગાવાનું મને બહુ ગમ્યું નહીં… ‘[આ] ગઝલને વાંચજો’ જેવું બોલવાનું જેટલું સરળ અને સહજ લાગે એટલું ‘ગઝલો વાંચજો’ નથી લાગતું… અને આ વાત કદાચ દરેક શેરમાં થતાં રદીફનાં આવર્તનને લીધે મને વધારે હોઈ એવું લાગે છે.
છેલ્લા બે શેર તો ખૂબ જ ગમ્યાં…
એમાંય મનનાં ઈન્ટર-નેટ હોવાવાળી વાત તો ખૂબ જ ગમી ગઈ.
April 6, 2008 at 9:34 am
ઊર્મિ
… મને વધારે કઠી* હોઈ એવું …
April 6, 2008 at 9:50 am
Pinki
શબ્દમાં માઈ શકે એવી નથી પીડા બધી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
યાત્રા વૃંદાવનની કરવી કે ગઝલના ગામની ?
મોરપિંછ બસ, એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
આ શબ્દયાત્રા પણ સાચે જ
તીર્થધામની યાત્રા સમાન જ છે……..
આત્મસાત્ પણ કરવી પડે, તપશ્ચર્યા પણ કરવી પડે
અને કપરી પણ ખરી …….?!!
સુંદર રચના…….!!
April 6, 2008 at 1:23 pm
Mehul Shrimali
Diff. kafiya like “internet” & “cement” r really nice…lt’s time to do something new,out of box,ahead from the old way….bye…tc…
April 6, 2008 at 10:08 pm
Mukund Desai
સરસ ગઝલ્
April 6, 2008 at 11:08 pm
સુનીલ શાહ
સરસ ગઝલ..
હેમંતભાઈ, ઉર્મિબેને સરસ મુદ્દે ચર્ચા ઉપાડી છે. વિવેકભાઈની સ્પષ્ટતા ગમી. જાણકારો દ્વારા વધુ ચર્ચાને અવકાશ છે. મારા જેવાને નવું જાણવા મળશે.
April 7, 2008 at 5:01 am
mannvantpatel
મોરપિચ્છ્ બસ એક વચ્ચે મૂકીને તમારેી આ ગઝલ વાઁચી !
આભારસહ અભિનદન !
April 7, 2008 at 4:58 pm
nilamhdoshi
મને તો પ્રથમ બે શેર વધારે ગમ્યા.
એનો ભાવ સ્પર્શેી ગયો.
April 7, 2008 at 6:26 pm
Dr N N Dhruv
પિચ્છ એ મૂળ સંસ્કૃત શબ્દ છે અને એનું ગુજરાતીકરણ થતાં પીંછ કે પીંછું રૂપો થયાં. મોરપિંછ-મોરપીછ-મોરપીછું ત્રણેય ખોટી જોડણી છે. પિચ્છ અનાસિક્ય છે, પીંછમાં પ્-વ્યંજન જોડે અનુનાસિક દીર્ઘ ઈ છે અને પીંછું શબ્દમાં પ્-વ્યંજન જોડે નાસિક્ય દીર્ઘ-ઈ છે અને છ્-વ્યંજન જોડે નાસિક્ય હ્રસ્વ-ઉ છે. કોશનો નિયમ ૩૨ સાફ છે કે કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હ્ર્સ્વ દીર્ઘ બતાવનારાં ચિહ્નો વાપરવાં. એટલે વિવાદને સ્થાન જ ક્યાં છે? ઈન્ટર-નેટ પણ ખોટી જોડણી છે - ઇન્ટર-નેટ શુદ્ધ છે. પુનરુક્તિનો દોષ વહોરીને કહું છું કે પદ્ય-લેખનમાં જોડણીની છૂટ લેવાની ન હોય તોય લેખનદીર્ઘ સ્વરોને લઘુ તરીકે અથવા લેખનહ્રસ્વ સ્વરોને ગુરુ તરીકે વાપરવાની સમ્પૂર્ણ છૂટ છે જ અને એને દોષ ગણી શકાય નહિ.
નિશીથ ધ્રુવ
April 7, 2008 at 6:52 pm
વિવેક
પ્રિય નિશીથભાઈ,
આપ જે ચીવટાઈથી શીખવો છો એ જોતા વારંવાર ભૂલો કરવાનો લોભ થાય છે. મોરપીંછની જોડણી વિશે ઊર્મિએ પ્રશ્ન ઊઠાવ્યો ત્યારે જ સાચો શબ્દ કયો છે એ જોઈ લીધો હતો. એ શેરમાં ન માત્ર જોડણી-દોષ રહી ગયો છે, છંદ-દોષ પણ છે જ. એ શેર આજે બપોરે જ મેં બદલ્યો પણ છે પણ બ્લૉગ પર અપડેટ હજી કરી શક્યો નથી:
જાતરા વૃંદાવને જઈ કરવી કે ગઝલોને ગામ ?
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
ઇન્ટર-નેટ વાળી જોડણી પણ ધ્યાન બહાર જ હતી…
April 7, 2008 at 8:07 pm
ભાવના શુક્લ
શબ્દમાં માઈ શકે એવી નથી પીડા બધી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
………………………………………………………..
ભાવનાઓના અનેક જાળા રચતા શબ્દો જાણે શબ્દો નથી રહ્યા..
અકથ્ય વેદનાને સાત્વિકતાનો સૌમ્ય સ્પર્શ મળ્યો આ શબ્દોથી,
……………………………………………………………
‘મોરપિંછ બસ, એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.’
April 7, 2008 at 8:58 pm
chetna Bhagat
ખબર ચ્હે મને તારિ યાદો માથ્હેી ભુસઐઇ ગયો ચ્હુ..પન્હ મારુ નામ વચ્ચે મુકિ ગઝલો વન્ચ્જો
April 7, 2008 at 9:36 pm
Pinki
નિશીથભાઈ,
સુંદર માહિતી અને માર્ગદર્શન માટે આભાર……
April 8, 2008 at 2:15 am
ઊર્મિ
આભાર નિશિથભાઈ… સરસ રીતે જાણકારી આપવા બદલ !
નવો શેર સાચે જ વધુ સુંદર થયો છે વિવેક… અભિનંદન !
April 8, 2008 at 8:16 pm
Dr N N Dhruv
માહિતી ગમી માટે આભાર. પણ મોરપીંછું શબ્દ કાનમાં જચતો નથી, મોરપીંછ સામાન્ય વપરાશમાં છે. ઊર્મિબહેને વળી મારા નામની જોડણી ખોટી કરી! નિશીથ ખરી જોડણી છે. અત્રે જોડણીની વાત થા છે માટે આ લખ્યું બાકી હું તો અનાગ્રહી છું!
નિશીથ
April 9, 2008 at 12:16 am
Dr N N Dhruv
અત્રે પત્ર લખતી વેળા નિજી કી-બૉર્ડ વાપરવું હોય તો શું કરવું? આ કી-બૉર્ડ વડે ઓઙ્કાર, અવગ્રહ વગેરે કેમ બતાડાય?
ડૉ. નિશીથ ધ્રુવ
April 9, 2008 at 9:31 am
Dr N N Dhruv
ગઝલ પઠન કરતી વખતે ‘મૂકી’ ધ્યાનથી સાંભળજો. કી ભલે લેખનમાં દીર્ઘ હોય, પ્રસ્તુત ગઝલ માટે તો લઘુ જ છે કે નહિ? પણ પઠનમાં ક્યાંય બાધા આવે છે? જોડણીમાંનાં હ્રસ્વ-દીર્ઘત્વ અને કાવ્યમાંનાં લઘુત્વ-ગુરુત્વ વચ્ચે સંગતિ સદા-સર્વદા શક્ય પણ નથી, આવશ્યક પણ નથી. પઠનમાં ક્યાંય લય-તાલ ખટકે નહિ અને શબ્દો અને ભાવ મનને સ્પર્શે એ જ બધુ મહત્ત્વનું છે.
નિશીથ
April 10, 2008 at 4:57 pm
gaurang thaker
વાહ મને તો મઝા આવી
April 10, 2008 at 5:43 pm
Natver Mehta, Lake Hopatcong, NJ, USA
ગઝલનો આનંદ લેવા લખી ગઝલો
એ આનંદથી માણી ગઝલો વાચંજો…..
તમે ગઝલના જાદુગર છો!!!
તમારા પેશન્ટ થવાનું મન થઈ આવે છે!!
April 10, 2008 at 6:23 pm
VISHWADEEP
શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
ક્યાં બાત હૈ! સુંદર
April 10, 2008 at 6:36 pm
Chiman Patel "CHAMAN"
કોમેન્ટ મૂકનારાઓની એક જ દિશામાંથી થયેલ વળાંક ગમ્યો. એટલેજ, નવું જાણવા પણ મળ્યું.
ગઝલમાંના પ્રેમ રસમાંથી વિવેકભાઈનો વળાંક પણ ગમ્યો.
એમની ગઝલોમાં નવી દિશાઓ મને જોવા મળે છે.
April 10, 2008 at 9:29 pm
Arvind Upadhyay
અફલાતુન !
April 10, 2008 at 10:03 pm
pradIp Brahmbhatt
શ્રી વિવેકભાઇ
હ્યુસ્ટનથી પ્રદીપ બ્રહ્મભટ્ટ ના જય જલારામ.
ગઝલની યાત્રાએ નિકળ્યા છો જેમાં મનની શાન્તિ, આત્માનો આનંદ અને પ્રેરણાના
સાગરમાં ડુબતા હો તેમ લાગે છે. સુંદર ગઝલ છે એવું મારે લખવાનું ન હોય, કારણ મોરના ઇંડા
ચિતરવાના ના હોય એતો કુદરતની કૃપા છે
April 10, 2008 at 10:29 pm
Rajendra Trivedi, M.D.
શબ્દમાં માઈ શકે એવી નથી પીડા બધી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
Dear Vivek Taylor (Doctor),
Keep sending to Boston,
I love to read your Gazals and Poems.
I wish You can put in this in the brail.
Many who can not read will enjoy too.
Do cotact our school.
Rajendra
www.bpaindia.org
April 11, 2008 at 10:14 am
jjugalkishor
યાત્રા વૃંદાવનની કરવી કે ગઝલના ગામની ?
મોરપિંછ બસ, એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
પોતીકો લાગે એ ખાતર અડધા છોડ્યા શે’રમાં,
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે તોય
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
મારા મતે હ્રસ્વ-દીર્ઘ ઈ કે ઉ ને લઘુ કે ગુરુ બનાવવામાઁ એટલો દોષ નથી જેટલો આ /એ / ઓ વગેરેને હ્રસ્વ કરવામાઁ દોષ છે.
ઉપરની ચર્ચાઓના દાખલાઓમાં મને કોઈ જ દોષ જણાતો નથી.જે જણાય છે તે ફક્ત યાત્રામાંનો ‘ત્રા’ ; પોતીકો લાગે એ ખાતર માંનો ‘એ’ અને અડધા માંનો ‘ધા’; ગુજરેમાંનો ‘રે’ આટલા ગુરુઓને બળજબરીથી લઘુ કરાયા જણાય છે. આને હું દોષ જ સમજું છું પરંતુ ગઝલકારો એની છુટ આપતા હોવાનું કહેવાય છે.
બાકી તો ગઝલની મસ્તી જ માણો - એ તો કોઈ ઑર જ છે !! ધન્યવાદની જ અધીકારીણી છે આ ગઝલ.
April 11, 2008 at 1:29 pm
DR.GURUDATT THAKKAR.
પોતીકો લાગે એ ખાતર અડધા છોડ્યા શે’રમાં,
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
-આ શેર માટે –ખાસ અભિનંદન..
મજબૂત ગઝલ-વાંચી!
April 11, 2008 at 2:39 pm
sanjay pandya
ઉત્તમ રચના ….ઉત્તમ શેર્……પણ મેીટ્ર્ના દોષ દૂર થાય તો સારુ.
Sur na janme share ma ગા લ ગા ગા , ગા લ ગા gujare પાસે પૂર્ણ થાય છે અને ” તોય” વધારાના છે .
vrindavan શબદ બદ્લાય તો બેહ્તર ….વજન તુટે છે
ંરદિફ ના શબ્દો “મૂકી ગઝ્લો” ગા લ ગા ગા ના વજન્મા નથી
વિવેકભાઈનુ ભાવ્વિશ્વા વધુ strong છે !
Sanjay Pandya , mumbai .
April 11, 2008 at 3:30 pm
parshuram chauhan
ઘણા કવિમિત્રો અને જાણકારમિત્રો તમારી આ ગઝલના બંધારણ વિશે જે ત્રુટિઓ અંગે વાત કહે છે તે જ હું પણ કહીશ.
જરા વધારે પડતી જ છૂટ લીધી છે.બાકી તો બાની બરાબર છે.અભિનંદન !!
April 11, 2008 at 7:08 pm
વિવેક
સહુ મિત્રોનો આભાર…
ગઝલના છંદમાં લેવાતી છૂટ-છાટ અંગે કોઈ સર્વમાન્ય નિયમો આપણે ત્યાં કોઈએ કરવાનું હજી સુધી ઉચિત ગણ્યું નથી. ગઝલ પર મોટા પુસ્તકો લખનાર પણ લઘુ-ગુરૂની ચર્ચા સદંતર અવગણીને ચાલે છે… રઈશભાઈ જેવા ગણ્યા-ગાંઠ્યા માંડ એકાદ-બે જણે જ ગઝલને પાયાના પથ્થરથી જોવાનો વૈજ્ઞાનિક અભિગમ કેળવ્યો છે પરિણામે ગઝલના છંદ વિશે આપણે ત્યાં એકમત પ્રવર્તતો નથી…
પ્રસ્તુત ગઝલમાં ચારેક જગ્યાએ જે છંદ-દોષ છે એ હજી નવી પોસ્ટ મૂકવાની બાકી હોઈ અને પ્રસ્તુત ગઝલ પર ચર્ચા ચાલી રહી હોવાથી હજી મઠાર્યા નથી. આવતા અઠવાડિયે એ કામ થઈ જશે એટલે કવિ-મિત્રોને ફરીથી આ ગઝલ ચકાસી જવાનો આગ્રહ રાખીશ…
ફરી એકવાર સહુ મિત્રોને મારો ખુલ્લા દિલનો અનુરોધ છે કે જ્યારે જ્યાં કોઈ ભૂલ જણાય, મારો કાન ચોક્કસ પકડજો… હું અહીં ખોટું લગાડવા નહીં, આગળ જવા આવ્યો છું…
April 11, 2008 at 11:58 pm
kavita Maurya
દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
પોતીકો લાગે એ ખાતર અડધા છોડ્યા શે’રમાં,
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
જોજનો દૂર થઈ ગયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
સુંદર શેર.
April 13, 2008 at 8:33 am
jjugalkishor
વિવેક અને ટેઈલર બન્ને શબ્દો જાણે કે કાવ્યના આંતર-બાહ્ય કલેવરના સુચક હોય તેવું જણાય છે. વ્યવસાયે ડૉક્ટર અને શોખે કાવ્યસર્જક એવા વિવેક ડૉક્ટર-’સર્જન’ અને સર્જક છે !!
એમનું આંતરજગત વિવેકસભર છે અને કાવ્યોનું બાહ્ય કલેવર ટેલરીંગની કુશળતા અને કારીગીરીથી શોભે છે. એમનો કાવ્ય સાથેનો જ નહીં, ભાવકો સાથેનો સંબંધ પણ વિવેકપુર્ણ છે.
એમનાં સર્જનોને “મોરપીંછું એક વચ્ચે મૂકી” આપણ માણીશું…..
April 14, 2008 at 12:27 am
Dr N N Dhruv
ગુજરાતી ભાષામાં આ, એ અને ઓ એ ત્રણેય સ્વરોનાં પણ હ્રસ્વ તથા દીર્ઘ બન્ને રૂપો સ્વીકૃત છે જ, ભલે લિપિમાં એવી વ્યવસ્થા ન હોય. માટે એમનો લઘુ-ગુરુ બન્ને રીતનો પ્રયોગ વૈધ ગણાય.
નિશીથ.
April 16, 2008 at 11:51 am
dixita patel
ગઝ્ લ વાચવા ની શુ મજા આવી ગઈ*
April 16, 2008 at 10:03 pm
પંચમ શુક્લ
બહુઆયામી ગઝલ અને એવાં જ વૈવિદ્યપૂર્ણ મતમતાંતરો. કાવ્ય/વિવેચન સત્ર માણવાની મજા આવી વિવેકભાઈ.
ક્યાં, કેટલી છૂટ, કેવી રીતે નભે, એ જ તો કવિકૌશલ છે ને? (રીઢા રસોયાની રસોઈ અને લોકભોગ્ય રૅસિપીની રસોઈના તફાવત જેવું ક્શું કાવ્યસર્જનમાં પણ પરખાય ખરું?).
ઉપસંહારમાં આટલું કહું?
છંદબંધારણ રહે, વૈયક્તિક ઉચ્ચારણ સહે અને પ્રિય! કર્ણધારણ કહે એ રીતે ગઝલો વાંચજો!
April 18, 2008 at 8:29 pm
nirlep
ઉત્તમ રચના ….ઉત્તમ શેર્……
April 20, 2008 at 9:30 pm
Neela
જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
good lines
May 3, 2008 at 8:07 pm
Divya Modi
આ ફલક પર નિષ્પક્ષ ચર્ચાને ખુલ્લા દિલનો આવકાર, વેબસાઈટની ગરિમા સૂચવે છે.. દરેક અભ્યાસુ માટે નિઃશંક બહુમૂલ્ય ખજાનો !! રહી વાત ગઝલની , તો વૃંદાવન , વાંસળી ને મોરપિચ્છ થી ગઝલનાં મંડાણ કરી ઈન્ટરનેટ ને સિમેન્ટ સુધીનું ખેડાણ ડોક્ટર કવિનાં ભાવવિશ્વનું વિશાળ ફલક સૂચવે છે.. દરેક શેર અર્થસભર , મર્મવેધી અને બોલકો… આખરે તો અનુભૂતિ એ જ સાચો આનંદ !!