હોવાપણાંથી દૂર શું ભાગી શકાય?
અજવાળે પડછાયાને શું ત્યાગી શકાય?
સૌ વાતમાં ચાલે નહીં શાને ગણિત ?
કંઈ તો હશે જેનાથી આ ભાગી શકાય…
જો, ધ્યાનથી જો ! ત્યાં સદા મળશે સવાર,
આ ઊંઘમાંથી જે ઘડી જાગી શકાય.
ઈચ્છા અગર સૌ હાથવેંત જ હોય તો ?!
મન ફાવે ત્યારે ભીંત પર ટાંગી શકાય.
કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય.
આ શ્વાસને શબ્દોની એરણ પર ટીપો,
ટક્શે કે તૂટે – પાર તો તાગી શકાય !
એનાથી શો ડર જેનું છે નામ જ ‘વિવેક’ ?
એને બજારે શબ્દથી દાગી શકાય…
ડૉ. વિવેક મનહર ટેલર
-
Another very good tamara shabdo no ek swas…
સૌ વાતમાં ચાલે નહીં શાને ગણિત ?
કંઈ તો હશે જેનાથી આ ભાગી શકાય…ઈચ્છા અગર સૌ હાથવેંત જ હોય તો ?!
મન ફાવે ત્યારે ભીંત પર ટાંગી શકાય.કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય.I liked these sher’s very much…
… soooo good!!
(I have some problem with Gujarati fonts, so i m writing this in English. Sorry
)Thanks Vivekbhai!
“Urmi Saagar”
http://www.urmi.wordpress.com -
વાહ..
ઘણી મઝા આવી.જો, ધ્યાનથી જો! ત્યાં સદા મળશે સવાર,
આ ઊંઘમાંથી જે ઘડી જાગી શકાય.—-
ઇતના ના માયુસ હો તુ, કર ઝરા ઝિંદાદિલી,
ક્યું નહીં દિખતી તુમ્હેં, વો કબ્ર પર ખીલતી કલી..
જિસકો કહેતે હો અંધેરા, દિન કી વો શુરૂઆત હૈ..!—–
કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય.વાત તો સાચી…
શ્વાસ હોય કે સંબંધો.. મરજી મુજબ માંગી નથી શકાતા, મરજી મુજબ ત્યાગી નથી શકાતા. -
ઈચ્છા અગર સૌ હાથવેંત જ હોય તો ?!
મન ફાવે ત્યારે ભીંત પર ટાંગી શકાય.ખુબ જ સુદર વાત
*****************
કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય.મરીઝના આ શબ્દો યાદ આવી ગયા
બહાર થી એ દમામ કે પાસે આવવા ન દે
અંદરથી એ સંભાળ કે દુર જવા ન દે
કેવો ખુદા મળ્યો છે શુ કહુ “મરીઝ ”
પોતે ન દે બીજા કને માંગવા ન દે -
Nicely described desires of life with words.
The picture here is well matched with your words…
-
મધ્યપ્રદેશમાં ભોપાલથી દક્ષિણે 46 કિ.મી. દૂર આવેલું ભીમબેટકા ભારતીય સંસ્કૃતિનો અભૂતપૂર્વ વારસો વિંધ્યની ઉત્તરીય પર્વતમાળામાં સાચવીને બેઠું છે એની બહુ થોડા જ લોકોને જાણ છે. ગાઢ જંગલની મધ્યમાં પથરાળ ભૂપૃષ્ઠ પર બિરાજમાન ભીમબેટકામાં પાષાણયુગના લગભગ 750 જેટલા શૈલાશ્રયો સચવાયા છે. કેટલાક શૈલાશ્રયો તો એક લાખ વર્ષ પુરાણા છે અને આદિમાનવના અસ્તિત્ત્વના પુરાવાના પાનાઓ કુદરતની પાઠશાળામાં જાળવીને રાહ જુએ છે વાંચનારની. લગભગ 500 ગુફાઓમાં પ્રાગૈતિહાસિક કાળના પૂર્વજોએ ગુફાચિત્રો દોર્યા છે. આ ચિત્રોમાં મનુષ્યજીવનની રોજ-બરોજની પ્રવૃત્તિ જેવી કે કેશગુંફન, સ્નાન, જન્મ, મરણ, તહેવાર, નૃત્ય, શિકાર અને પ્રાણીઓ સામેલ છે. કુદરતી રંગોથી બનાવેલા આ ચિત્રોમાં કેટલાંક તો બાર હજાર વર્ષ જૂનાં છે. સાવ ખુલ્લી ગુફાઓમાં બનેલા આ આદિચિત્રોના રંગ હજારો વર્ષો પછી પણ ટાઢ-તાપ, વરસાદ, ભેજ કે પવન જેવી કુદરતી શક્તિઓ લગીરે લોપી શકી નથી. હજારો વર્ષ પહેલાં જે જગ્યાએ કોઈકે શ્વાસ કીધો હશે, એ જગ્યાએ ઊભા રહેવાની લાગણી શબ્દાતીત છે!
ભીમબેટકાની અમારી યાદગાર મુલાકાતમાં જોડાવું હોય તો આ લિન્ક પર ક્લિક કરો:
http://pg.photos.yahoo.com/ph/dr_vivektailor/album?.dir=/c49fscd
-
આ ભાગવાનું કોનાથી ? કોના સુધી ?
બે-ચાર પળ શું શ્વાસને ખાળી શકાય ?અસ્તિત્ત્વનો ખાલીપો ભરવો શક્ય છે,
કોઈ એક ચહેરે સ્મિત જો આણી શકાય.હોવાપણાંના ભ્રમથી શું જાગી શકાય ?
મારા વગર મુજથી અગર ભાગી શકાય…કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાયઆપના કાવ્યની સુન્દરતાને પ્રગટ કરવા માટે તો સુંદર શબ્દની સુંદરતા પણ ઓછી પડે.
જો કાવ્ય ને થોડો ન્યાય આપવો હોય તો એટલું કહી શકાય,કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી પડે ત્યારે આવા કાવ્ય રચી શકાય… -
kai to jivan ma ap…marji mujab tyagi ne mangi shakay..!!jayshree ni vaat sachi chhe…sambanndho marji mujab mangi k tyagi shakata nathi..!
viagra patent levitra



11 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/61/trackback