ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?


(પાણીની અંદરનું વિશ્વ…                 ….માલદીવ્સ, ફેબ્રુઆરી-02)

*

ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.

તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.

જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.

હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.

– વિવેક મનહર ટેલર

14 thoughts on “ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?

  1. ગયા ભવનાં પુણ્યોને લઈને ડૉ. વિવેક બન્યા !
    તમે તો અત્તર રંગીલા રસદાર છો ભાઈ !શ્રીમાન
    સુરેશભાઈ જાની ના કહેવા મુજબ:આ ક્ષણને માણો !

  2. હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
    સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

    ……………………

    જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
    તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.

    ઘનતા શબ્દની ગહેરાઈ અને ની આ…ક્..છી શબ્દની સરળતા ખુબ સુંદર રીતે આલેખાઇ છે.

    ……………………………

    તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
    તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.

    દર્દી માટે દર્દ મટાડનાર તબીબ કોઈ મસીહા થી કમ નથી હોતા

  3. તબીબ તો ખરાં અને ‘માનવી કોઇ’ કોઇ બીજું નથી, પણ છે એ ગજબનાં કવિ કોઇ!!

    ખુબ જ સરસ રચના છે…

  4. ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
    નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.

    વ્યથા વેઠવાની નહિ , પણ ગયા ભવ મા તમને Talent આપવાની રહી ગઈ હશે એટલે આ ભવ મા પ્રભુ એ ખાતુ સરભર કરી નાખ્યુ .

  5. Excellent gazal I got your reference thru Dr.Pankaj Gandhi & really after reading your gazal believed that God has put immense talent in human beings & you are the true torch bearer of multifaceted creativity in todays world. With Best Regards, Bhavesh N Jhaveri

  6. Absolutely fantastic,this is the first time ever i got your blog link from readgujarati.com,i read your poem “gaya bhavni vyatha”,everyone has its own method for re-action / action but if its in form POEM it is imforgotable and especially when its by DOCTOR because a doctor meets various types of patient in his routine , he is a part of his/her patient’s JOY , SORROW and every moment of life.

    Hemantgiri S. Goswami

  7. હંમેશા ની જેમ સરસ,કોઈ શાયર નાં શબ્દો યાદ આવી ગયા,’જીંદગી નાં હાથ માં કોણે મુક્યુ શ્રીફળ હશે, કેટલાં જન્મો પછી ની સાધના નું ફળ હશે.’

  8. હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
    સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

    ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
    કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.

    વાહ…….

  9. તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
    અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.

  10. હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
    સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.
    ….સુંદર સુંદર

Leave a Reply to Rina Cancel reply

Your email address will not be published. Required fields are marked *