*
આંખો સ્થગિત થઈ ગઈ મારી રવેશમાં.
ફંફોસતો રહ્યો હું જીવનભર અહીં-તહીં,
ખોલ્યાં નયન, હતી તું મારા સંનિવેશમાં.
અંદર જે છે તે આખરે તો આવશે બહાર,
છૂપાઈ શકશે ક્યાં લગી કો’ પહેરવેશમાં ?
જો મૂલ્ય જાણવું હો કોઈનું તો સૌપ્રથમ,
રહેવું પડે બે-ચાર દિ’ શૂન્યોના દેશમાં.
શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં.
-વિવેક મનહર ટેલર
-
One more marvelous writing……..
-
plz write glossary of hard terms used. thanks
-
શ્રી મનવંતભાઈ,
શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં.-ગઝલના આ મક્તામાં એક ઐતિહાસિક સંદર્ભને સાંકળવાની મારી કોશિશ હતી, પણ લાગે છે કે હું એમાં વિફળ નીવડ્યો છું. એટલું મારું કવિકર્મ કાચું જ સ્તો. નંદરાજા દ્વારા અપમાનિત થયા બાદ ચાણક્યે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નંદવંશનું નિકંદન ન કાઢી નાંખું ત્યાં સુધી મારા કેશ હું ખુલ્લા જ રાખીશ અને ત્યારબાદ જ હું મારા વાળમાં ગાંઠ વાળીશ.
આ શેર વડે મારે કદાચ કહેવું હતું કે મારા જીવનનું અંતિમ લક્ષ્ય શબ્દ અને કેવળ શબ્દ જ છે અને જે ક્ષણે હું શબ્દનો સાક્ષાત્કાર કરી લઈશ તે ઘડી એ હું આખરી શ્વાસ લઈ મૃત્યુની ગોદમાં સૂઈ જવાનું પસંદ કરીશ…
મારી વાત મારા વાંચક સુધી યોગ્ય સ્વરૂપે ન પહોંચાડી શકવા બદલ દિલગીરી અને દુઃખ અનુભવું છું…
-
અંદર જે છે તે આખરે તો આવશે બહાર,
છૂપાઈ શકશે ક્યાં લગી કો’ પહેરવેશમાં ?જો મૂલ્ય જાણવું હો કોઈનું તો સૌપ્રથમ,
રહેવું પડે બે-ચાર દિ’ શૂન્યોના દેશમાં.શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં…..
wwaaah -
સુંદર ગઝલ !!!
-
વાહ!
-
જો મૂલ્ય જાણવું હો કોઈનું તો સૌપ્રથમ,
રહેવું પડે બે-ચાર દિ’ શૂન્યોના દેશમાં………….જિયો -
આવીને કોણ પાછું ગયું છદ્મવેશમાં ?
આંખો સ્થગિત થઈ ગઈ મારી રવેશમાં.


11 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/52/trackback