(પાયકારા ધોધ, નીલગિરી પર્વતમાળા-સપ્ટેમ્બર-2005)
માન્યું કહ્યું જે પણ તમે : માનવ છું હું, ઈશ્વર નથી,
પણ પ્રેમ મારો તોય મારી જેમ કંઈ નશ્વર નથી.
મારી વફાદારીનો સિરો કોણ છે એ પ્રશ્નનો,
વિશ્વાસ હો તો ઠીક, બાકી વિશ્વમાં ઉત્તર નથી.
છે ભૂલ એકાદી, જીવન આખું હવે લજ્જિત છે આ,
ધબકાર હો કે શ્વાસ, શંકાથી કશુંયે પર નથી.
મરજી મુજબ વર્તી શકુ? ના-ના, સમય વસમો છે આ,
ઈચ્છાના જીવનમાં સ્વયંવર થાય એવું વર નથી.
એ પ્રેમનો જાદુ છે કે પ્રેમી તણા અહેસાસમાં,
એની પ્રિયાથી વિશ્વમાં કોઈ વધુ સુંદર નથી.
વહેતું રહે છે શબ્દનું ઝરણું સતત એ કારણે
કે હર ગઝલના અંતે જાગે પ્યાસ – ‘આ આખર નથી!’
ડૉ.વિવેક મનહર ટેલર
3 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/45/trackback/
May 25, 2006 at 4:29 pm
SV
Beautiful!
May 25, 2006 at 11:35 pm
sana
Good One….
No one is God,
“Faith” and “Trust” is worship…
Mistakes is to man..
To “Forgive” is Life…..
November 23, 2006 at 3:21 pm
Anonymous
“પ્રેમ મારો તોય મારી જેમ કંઇ નશ્વર નથી….”
સરસ પંક્તિ.અભિનન્દન
નીલમ દોશી.