![]()
(શ્વેત સમુદ્ર…. ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)
*
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના માસિક મુખપત્ર ‘પરબ’માં પહેલવહેલીવાર મારી ગઝલ. ઢગલોક સાભાર પરતના ધૈર્ય તોડી નાંખે એવા પત્રો બાદ પહેલીવાર આ દુર્ભેદ્ય ભાસતા ગઢનો એક કાંગરો આ મહિને ખર્યો… એનો આનંદ પંડેથી કાઢીને નેટ-ગુર્જરી પર…
![]()
(’પરબ’, ઑગસ્ટ, 2008….. ….તંત્રી: શ્રી યોગેશ જોષી)
(આ ગઝલ ‘પરબ’ ઉપરાંત નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ, અને ‘સંવેદન‘ સામયિકોમાં તથા જનક નાયક સંપાદિત ગઝલે-સુરત પુસ્તકમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આ ગઝલ અને એ વિશે મિત્રોના આ બ્લૉગ પરના પ્રતિભાવ અહીં જુઓ)
-
પરબ મળતાં જ આ ગઝલ વાંચી ત્યારે જ હું ખુશ થયેલો. ખુબ ઝીણી વાત તમે બોલકા બન્યા વીના પ્રતીકોથી જ ગુંથી છે..
પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
હોવાપણાનો દેહ ન ત્યાગી શકી હવા.કેવી નજાકતથી પણ કેટલી ઉંડી સંવેદના પ્રગટ થઈ છે આ શેરમાં !
અને નાજુક અને મર્મવેધી ગઝલ વીશે–
એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
છંદો, રદીફ, કાફિયાઃ શું–શું ઉપાડવા ?વાહ, વાહ ! ગઝલ સ્વીકારી ‘પરબ’ ધન્ય થયું. ..ઉ.મ..
-
congrets…Vivekbhai..you have always maintained quality (both meaning-wise & classically) in your gazals, it’s really worth noting.
-
તમે લખો છો ઃ-
આ ગઝલ ‘પરબ’ ઉપરાંત નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ, અને ‘સંવેદન‘ સામયિકોમાં તથા જનક નાયક સંપાદિત ગઝલે-સુરત પુસ્તકમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે.આ એક ગઝલ એક કરતા વધુ સમાયિકોમા પ્રગટ કેવી રીતે થઇ ?
મને લાગે છે તમે તમારી ગઝલો આ બધા માં પ્રગટ થઇ છે એમ કેહવા માગો છો.આ ગઝલ માટે તમને પહેલ જ અભિનંદન આપી દીથા છે.
ભરત પંડ્યા.
ભાવનગર. -
ખુબ ખુબ અભિનન્દન મારા તમને !
-
ધન્યવાદ
સાભાર પરતના ધૈર્ય તોડી નાંખે એવા પત્રો છતાં અનેકોની જેમ હતાશ થયા વગર
દુર્ભેદ્ય ભાસતા ગઢનો એક કાંગરો ખેરવવા માટે…
આનંદ- જાણે અમે જ ગઢ જીત્યા રે….
હંમણા તો ચલો ગુજરાતમાંથી થોડો સમય કાઢી આટલું જ્ -
ભરતભાઈ કદાચ એમ કહેવા માગે છે કે મોટા ભાગના સામાયિકો અપ્રકાશિત રચના જ સ્વીકારે છે. સામાયિકના આગળ કે પાછળના પૂંઠા પાછળ આવો નિયમ લખ્યો હોય છે (અમારા જમાનામાં તો આવું હતું). આ નિયમ કવિ અને લેખકોએ નૈતિક રીતે જાળવવાનો હોય છે. જાણ થયે, નિયમનો ભંગ કરનાર કવિ કે લેખકની નવી રચનઓ લેવાનું તંત્રી બંધ પણ કરી શકે. જોકે આવા નિયમો ગુજરાતમાં કે ગુજરાતી સામાયિકોમાં હવે કેટલે અંશે પળાય છે એ ખબર નથી.
-
સહુ પ્રથમ તો, વિવેકભાઈને એક અર્થપૂર્ણ -સુંદર ગઝલ માટે અભિનંદન….
રચના,ક્યાં અને કેટલી પ્રકાશીત થઈ એ રચના કે કવિ એકેયની ગુણવત્તાના માપદંડનું સીમાચિહ્ન ન હોઈ શકે !
રચના કોઇપણ સ્વરૂપે પ્રસ્તુત થાય, એ કોઇના પુરસ્કાર કે પ્રતિપાદનની ઓશિયાળી નથી હોતી…..હા,લાગણીની વાત હોય એટલે ભાવક,વાચક પાસેથી લાગણીશીલતાની -અપેક્ષા, અસ્થાને ન
ગણાય !!!
રચનાકારે, રચનાના સર્વાંગ સૌંદર્યનિખારને જ પ્રાધાન્ય આપવું જોઇએ-મારૂં અંગતરીતે એવું માનવું છે.
એ પણ એટલું જ સાચું છે કે,યોગ્ય રચનાને યોગ્ય પ્રોત્સાહન મળે,તો રચનાકાર અને રચના બન્ને નિખરતાં રહે છે…!એક ગઝલકાર તરીકે મેં પણ એ અનેકવખત અનુભવેલી વાસ્તવિક્તા છે !!!! -
ઍક સામયિક્માથી પછી આવે પછી બીજામા મોકલી શકાય પણ આમ
જુદા જુદા સામયીક મા એક્ની એક ગઝલ છપાવશો અને તે સામ. ને કોઇ વાચક જાણ્ કરશે તો
તમે નાહકના દંડાઈ જશો.થોડી ધીરજ રાખી એક જગ્યાએ મોકલેલી ક્રુતી વીશે જાણવુ અને માનો કે “રીસનેબલ ટાઇમમા” જવાબ ન આવે તો બીજે મોકલવી
પુરસ્કારનો મુદ્દો જુદો છે.કવીનુ નામ તોછપાય છે !. ચિત્રકારને તો એ પણ નસીબ મા નથી.
ગયા ગુજ્-સમા. મા સોમાભાઇ શાહ નુ ચિત્ર તેમના નામ વગર છપાયું છે.
અસ્વીક્રુતી ની જાણ માટે સ્તેમ્પ વાળુ પરબીદિયુ મોક્લવું જરુરી છે અને સ્વીક્રુતી જાણ્ તો કરવામા આવેજ છે.
સામયીક ના અમુક તત્રીઓ ( બધા નહી) નામ જોઇને ક્રુતિ છાપે છે, ક્રુતી જોઇને નહિ તે વાત સાચી છે પણ તેમા અપણુ કઈ ચાલે નહી.આને કારણે ક્યારેક નામાંકિત કવી ની ભંગાર રચના પણ છાપેલી જોવામા આવે છે. અને તત્રી પાસે કવીતાનો ઢગલો થતો હોય ત્યારે આવા “ષોરટૃ- કટ્” નો આશરો લે છે.
બીજુ બધુ જવાદો પણ આ કારણે અમુક સામ્- તમારી રચના પ્રકાશિત કરતા બંધ થશે તો તમને મુશ્કેલી પડશે.
ખોટુ ન લગાડ્શો. તમારી પ્રગતીનો હું સાક્શી છું, અને તે જોઈ હરખાવૂં છુઉં.
ભરત પન્દ્યા. -
દાક્તર સાહેબ
તમે તમારી કવિતા ક્યાં ક્યાં મોકલી અને શું પરિણામ આવ્યું છે એનો હિસાબ રાખવાની એક સરળ રીત છે. જો તમે કવિતાની ડાયરી રાખતા હોવ અને જમણી બાજુ જ કવિતા લખતા હોવ તો ડાબી બાજુના પાના પર કવિતા ક્યાં મોકલાવી ને શું પરિણામ આવ્યું એ ટપકાવી શકાય. અથવા કવિતાની નીચે કે ઉપરના ભાગની જગ્યામાં ટુંકા સંકેત મુકી શકાય.
આ આ જ રીતે બ્લોગ પર આપેલી કવિતાની નીચે પણ આવી નોંધ રાખી શકાય (પણ એ અંગત બાબત સાવ જાહેર થઈ જાય).
[તમે આપેલા કારણો તદ્દન વાજબી જણાય છે. અને તમે કહ્યું એમ જો હવે તંત્રીઓ આવું જોતા ન હોય તો અને છપાઈના ધારા ધોરણો જ સાવ બદલાઈ ગયા હોય તો તો કંઈ સવાલ જ નથી!!!!]
-
વિવેકભાઈ,
એક વધુ વાર અભિનંદન પ્રકાશીત રચના માટે. અને આ એક(ડા) બેવડાતા રહે તેવી અનેક શુભેચ્છાઓ! -
ધન્યવાદ ડો.


19 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/252/trackback