જીવતો જાગતો માણસ ફૂટ્યો,
શ્વાસ છૂટ્યો વિશ્વાસ જ્યાં ખૂટ્યો.
ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
ઢળતો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
થશે પૂરી શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
છે નાદાની કે બિમારી ?
ઈચ્છા બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
આતતાયીને ફાંસી આપો,
પણ પહેલાં ભીતર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
અલગ-અલગ શાને પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.
- વિવેક મનહર ટેલર
(૧૧-૦૭-૨૦૦૬, ૩૦-૦૭-૨૦૦૮)
૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ મુંબઈમાં ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ વખતે લખેલું આ ગીત આ બ્લૉગને માત્ર ગઝલના બ્લૉગમાંથી કવિતાઓના ગુલદસ્તામાં ફેરવતી પહેલી રચના હતી. એ વખતે લયની દૃષ્ટિએ આ ગીત ઘણી જગ્યાએ ખોડંગાતું હતું. આજે પણ મારી સમજ પ્રમાણે લયમાં કરેલા ફેરફાર બાદ પણ અહીં લય પાક્કો ન થયો હોય એ બનવાજોગ છે. બેંગ્લોર અને બાદમાં અમદાવાદમાં ઉપરાછાપરી થયેલા ઢગલાબંધ બૉમ્બ વિસ્ફોટ અને સુરતમાંથી જડી આવેલ અઢી ડઝનથી પણ વધુ મોતના જીવતા સામાન સમા બૉમ્બના કારણે અસ્તવ્યસ્ત થયેલા માનસને પ્રસ્તુત કરતું આ ગીત કોઈ એકને પણ સ્પર્શી શકે તો ઘણું…
-
સાંપ્રત કાળને અનુરુપ રચના
પણ પહેલાં ભીતર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
અલગ-અલગ શાને પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.
વિચારનાં વમળ થવા લાગ્યાં
ભીતર આંતર મનમાં ઝંકાર થવા લાગ્યો.
કૃત્ય અટકાવી શકાય પણ વૃતિ…?
અમારા મહીલા મંડળને જેલમાં રાખડી બાધવાના પ્રોગ્રામ વખતે કહેલું કે વૃતિની દ્રુષ્ટીએ કેદીઓ
પકડાઈ ગયેલા છે અને આપણે…? -
સ્પર્શી ગયુ અને હચમચાવી ગયુ વિચાર સૃષ્ટીને
-
very very nice
-
nice creation by heart……..very appropriate
Atyare na aa halahal KAKIYUG ma ek vakya yaad avi gayu :
” Hu manvi MANAS thau to ghanu ”Darek Ma-Baap potana chokra ne puche chhe : Beta tare shu thavu chhe ? Doctor, Engineer, Pilot ?
Koi em nathi kahetu ke mare ene MANAS banavvo chhe…..have MANAS ni khot padi gai chhe….
-
very nice your poem. direct to touch heart. keep it up.
write very well
-
ખુબ સરસ્
-
આતતાયીને ફાંસી આપો,
પણ પહેલાં ભીતર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
અલગ-અલગ શાને પડછાયો?આખેઆખી– વેદના ભીની કવિતા ગમી–સ્પર્શી ગઈ.
-
આમ્ને ખુબ્મજ મજઆવેચે
-
કોઇ વિચારે છે
પેલા હાથીનુ શું થયુ હશે,
જેનુ માથુ શિવજી એ
પોતાના પુત્રને જીવતો રાખવા
કાપી નાખ્યું ?આ એક બાળ સહજ કુતુહતલતા છે
એક ગુલાબી કલ્પના
જે મારો પેછો છોડતિ નથી
અને સ્વૈર-કલ્પના માર્ગે વાત આગળ વધે છેજો કપાયેલ માથા સાથે ગણેશ્ ગણેશ રહી શકેતો,
તો શું પેલો મસ્તક છેદાયેલો હાથી
જીવન્ત ને રહિ શકે
દાખલા તરિકે કોઇ ઘોડાના માથા સાથેઅને જો આપડે કોઇ એવો ઘોડો શોથી કાધે કાઢીયે
તો પછે એ ઘોડા ના ધડ નું શું ?જોકે મારે બાલક બુધ્ધિ ને
શીવજીની બેદરર્કારી માન્ય નથી
મારું મન શોધે છે એવો ઉપાય્
જેમા મ્રુત્યુ ને સ્થાન નથીપણ હવે જ્યારે હું મારા ઘરમા લટકતી
ગણેશ ની છબી જોઉ છુ ત્યારે
પેલા મસ્તક હાથીનુ મસ્તક વિહિન નુ સડી જતુ ખોળિયુ
જે જમીન પર આડું પડેલું છે
જેની પર પક્શીઓએ અને ગીધડાએ
વિશ્ટા કરેલી છે
તે નજર સામે આવે છેઓહ ! તે હાથી,
તે તો મ્રુત્યુ પમ્યો પણ્
તેના કેટલાય કુટુમ્બીજનોએ
તેને જોયો હશે
અને કલાકો સુધી
તેની આસપાસ ચક્રાકારે
તેમની સુંઢ ઉંચી નીચી કરી ફર્યા હશેઆ ન્રુત્ય
એક સમુહ ન્રુત્ય
એની વિશે કોઇ કંઇ કહેતું નથી !!
~~~~~~~~~~~~~~Poem By Sujata Bhatt.
translated from english by Bharat Pandya…Sujata Bhatt is grand daughter of Nanabhai Bhatt and daughter of Dr.PraviNbhai bhatt- who was professor at Yale university and now lives in USA.Ms Sujata lives in Germany and her book of Poetries has been nominated for Forward Prize in Britain.
This prize is highest ranked p[rize for english poetry… -
મને જનિ ને બૌજ અનન્દ થઓ કે તમે વેબ્સિતે બનૈ ચે.
-
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
….
બહુ સરસ ભાવવાહી અને શબ્દે શબ્દે “ધબ્બ” કરીને સ્પર્શતુ કાવ્ય તત્વ.. -
હ્રદય વલોવતિ આ ઘટ્ના ને જ્યારે આપ્ણૅ બધા અસામન્ય દુર્ઘટ્ના ગણિષુ ત્યારે કદાચ્ બુદ્ધ તથા ગાઁધિબાપુ ના આત્મા ને સાચિ શ્રધાન્જલિ મળ્શે. સઁવેદનો ને ધાર કાઢ્વાનો વખત આવિ ગયો છે.
-
આતતાયીને ફાંસી આપો,
પણ પહેલાં ભીતર તો ઝાંકો;very touchy….
-
૧) ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.૨) એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
૩) એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
વિવેક-સ્પર્શી / સર્જી પંક્તીઓ !!
ઘણે સમયે બ્લોગનો લાભ મળ્યો. હું પહોચી વળતો નથી એનો દુઃખદ અનુભવ થાય છે..! -
ખરે ખર હ્રુદયને પ્સર્સિ જય ચ્હે આપનુ આ ગીત
-
vivek, your poem has touched my heart. I do wish that it becomes instrumental in bringing about change in the society that we all strive for.
-
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
ઢળતો સૂરજ આવતો’તો લઈ;સાચે જ રચના ‘ઘટના’ બની છે ‘ઘટના’ રચના બની છ
રાહુલ શાહ -
-
ગયા એ પોતાના ગયા-દૅશનુ નુર ગયુ
-
It’s very pleasured poem from heart.
-
now tyhat the danger is at our door step… in point blank range. only a sensitive & sensible poet can dare to shake hands eith danger. like PRALHAAD only a poet can show courage to embrace deah.. of course to save humanity from dispair & depression… yes for those who are lucky to save themselves…. AS MY OWN POEM SAYS..
JE SAVAARE NIKALE PAHONCHE GHARE SHI KHAATARI ?
KYAANK KAI VISFOT NE KAAYAM BACHE SHI KHAATARI ?AA TIFFIN JE BHUKH MATAADE, CYCLEBOJOP VAHE,
DAR-VAKHAT E JINDAGI NE JAALVE SHI KHAATARI >& it goes on…. if lady luck smiles, we can find the whole poem published in a paper/ mag. LET’S PRAY WE FIND IT PRINTED SOMEWHERE BAKULESH DESAI
-
Very appropriately said,
AATATATTAYINE FANSI AAPO
PAN PAHELA BHITAR TO ZANKHO(ZANKO)
CHE SHARIR EK JA SAUNA
ALAG ALAG SHANE PADCHAYA?
Dr. Vivekbhai, it is touching heart and gives pain to us!!!!!!!!!!!!!!! -
i worked on Sujata Bhatt’s poetry in English. She used to write poetry on nostalgia of an Indian in abroad. Poetry on Multiculturalism also are worth reading.
-
ત્રાસવાદને…. – સૌપ્રિય સોલંકી “શૈલ”
રહેવા દે ! રહેવા દે ! ઓ ક્રૂર માનવી,
શીદને આચરે છે આ સંહારલીલા ઘાતકી.દિવ્ય વસુંધરા તુ જ પાલવ, થયો રક્તથી રંજીત,
અરે ! ઓ કાયર તોયે રહ્યો તું દયાથી વંચિત.ત્રાહીમામ, ત્રાહીમામ સંભળાય પોકાર વાયુમાં,
ત્રાસ, ત્રાસ તણી પીડા જગને દેખાય આ ત્રાસવાદમાં.નથી ધર્મ, નથી કર્મ, નથી મર્મ – આ ત્રાસવાદને,
નથી હિંમત, સામી છાતીએ લડવા, આ ત્રાસવાદને.નથી સગા, નથી સહોદર, નથી મા-બાપ, આ ત્રાસવાદને,
નથી સંસારનાં જીવોનાં જાનની કિંમત, આ ત્રાસવાદને.સુંદર નયન રમ્ય સ્વર્ગ સમી, દીસતી દિવ્ય વસુંધરા,
દાનવોની પાસવી સંહારલીલામાં, સાણસે સપડાય વસુંધરા.જેણે આપ્યું સર્વ સજીવ સૃષ્ટિને, અર્પ્યું પોતીકું ગણી,
જે સનાતન સકળ સૃષ્ટિનાં, વિશ્વકર્મા તું ધણી.કોનું જગ, કોનું સ્વર્ગ, કોઈનું કશું ક્યાં રહ્યું છે છેક,
જ્યાં જુઓ ત્યાં નરક નરક, પ્રભુ તું જ હસતો મરક મરક ! -
ખુબજ સુન્દ્દ્રર્ માનવ્ થઇ જો બધ્આ જિવિ શકે ?
-
keep the good work going.
haven’t enter into the world of poetry. hence, not able to comment on it. best wishes for whatever you’re doing in Gujaarati on internet.
urvish kothari
http://www.urvishkothari-gujarati.blogspot.com -
ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈઊત્તમ પન્ક્તિ …
Both touchy poems , yours and sujata’s ! …….
-
સુન્દર રચના
-
ખુબ જ સુન્દર અને અદ્ભ્ભુત રચના. આવિ સુન્દર રચ્ન બદ્દ્લ અભિનન્દન્ મનોજ રાનદે
-
વિવેકસ્રર તમારી ક્વિતા ઘણી સ્રરસ છે. very good. Specially Mumbai train
-
વેદના એની કોઇ ન જાણે
ફૂટતાં ફૂટતાં એક જ જાણે !!
વાહ રે કુદરત તારી માયા
કાયા મારી ટૂકડે ટૂકડે
—
વિધિના એ લેખ ભલે હો
વિચાર એના એક ભલે હો
મારી આગળ પાછળ આવા
ટોળામાં એ એક ભલે હો!!
—-
એના મનમાં શું એ જાણે
મારી હાલત એ ન જાણે
લાગે એને એક જ રક્ષા
મારીને જન્ન્તની ઇચ્છા !!
—–
લાગે એને બોમ્બ ફૂટ્યો તો
નજરે નજેર માણસ ફૂટ્યો તો
દ્વેષ બિજ ને શેકી નાખો
માણસમાં માણસને ભાળો !!
—- -
ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
ઢળતો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !its great sir…..u give words to so many people’s thoughts…
-
Vignan mare chhe vignan j shikhvade chhe,
Vignan j to apanne navai pamade chhe,
Dushmani na bij vadhu unda na javado yaro,
Dosti j to jivanma badhu karta shikhvade chhe…….
-Manan Desai -
કોને આવો એકડો ઘૂંટ્યો ?……….હૃદયસ્પર્શી !
સમૂહ નૃત્ય ……કેટલી વેદના !
hats off to u all !!!!!!
-
મૌન રડે છે..
મૌન રડે છે અને માણસ તરફડે છે.
ચિત્કારની આગ પર ખિચડી ચડે છે.વિસ્ફોટ થૈ ને વિખેરાય ગયા શમણા.
દાનવતાનો દૈત્ય માનવતા કચડે છે.બોમ્બ થૈ ‘ને કેમ ફુટી જાતી નફરત?
શા માટે માણસ જ માણસને નડે છે?નફરત વાવશો તો નફરત જ લણશો.
ઓસામાનો દેહ પણ સમંદરે સડે છે.કોઈ તો ગાળિયો કાંપી નાખો કરુણાંથી.
માનવતા લટકતી ફાંસીને માંચડે છે.રહેવા દે! આ સંહાર નાદાન માનવ તું!
ક્યાંક ક્રિષ્ન રડે છે, ક્યાંક કરીમ રડે છે.રાજેશ જોશી ‘આરઝુ’

61 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/248/trackback