હવેથી દર શનિવારે…

(એક….                                             …ભરતપુર, 04-12-2006)

પ્રિય મિત્રો,

છેલ્લા ત્રણ-ચાર મહિનાથી એક વિચાર મનમાં ચાલ્યા કરતો હતો અને અમલમાં મૂકી શકાતો ન્હોતો. એક અઠવાડિયામાં બે કવિતાનું સર્જન કરવું અને તે ય એકધારું અને અવિરત કરવું- આ કામ આમેય ખાસ્સી મહેનત અને સમય માંગી લે એવું હતું. (આભાર, વૈશાલી અને સ્વયમ્ !) થોડી જૂની કવિતાઓ અને થોડી નવી રચનાઓના સહારે એક વર્ષથી વધુ સમય તો આ નિત્યક્રમ જાળવી શકાયો. હજી કદાચ એકાદ-બે મહિના આ ક્રમ જાળવી પણ શકું. પણ પછી? મશીનની જેમ સર્જાતી કૃતિઓ કંઈ દરવખતે સંઘેડાઉતાર ન થઈ શકે… વળી જૂની કૃતિઓમાં રહી ગયેલી છંદ-રદીફ-કાફિયાની ખામીઓ દૂર કરવાનો સમય ક્યારે કાઢી શકાશે? જે શબ્દને હું મારો શ્વાસ ગણતો હતો, એ જ શબ્દ ક્યારે અંતરાય બની બેઠો એ ખ્યાલ જ ન રહ્યો.

…ટૂંકમાં… આજથી હવે નવી કૃતિ લઈને મળીશું ફક્ત શનિવારે… દર બુધવારે મારી જ કોઈ જૂની કૃતિ મઠારીને બાહ્યસ્વરૂપના દોષ દૂર કરીને ફરીથી મૂકીશ… તો મિત્રો! યાદ રહે… દર બુધવારે જૂની રચના અને દર શનિવારે તરોતાજી કવિતા…

મળતા રહીશું શબ્દોના રસ્તે…

વિવેક.

3 thoughts on “હવેથી દર શનિવારે…

  1. I very much understand this dilema. I indeed appreciate your introspection.
    Although, we wish to have more of your poems, and wish enough energy to fullfil your aspirations, your desire for quality and creative work must be attained the way you decide.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *